Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અનુ.જાતિ વાલ્મીકી સહિતના વિધાર્થીઓને

૧ કરોડ,૫૫ લાખ ઉપરાંતની શિષ્યવૃતિ મુકવવા બેંકના બંધ પડેલા ખાતા શરૂ થયા

ભાવનગર તા.૧૦: જિલ્લાની સ્કુલોમાં ધો.૧ થી ૧૦ ભણતા અનુજાતિ વાલ્મીકી સહિતના વિદ્યાર્થી ભાઇ-બહેનોની શિષ્યવૃતિ માટેના બેક ખાતા કેટલાંક કારણોસર બંધ પડેલા તે કાર્યવાહી પુરી થતા આવા એકાદ હજાર ખાતાઓ ફરી કાર્યરત થતા શિષ્યવૃતિના ચેકો જમા થવામાં છે.

વાર્લ્મીકી (ભંગી) શિષ્યવૃતિ સમિતિના પ્રમુખ ભુપત દાકીયાએ આ મુદે સરકારશ્રીના તંત્ર પાસે ઉચ્ચસ્તરે રજુઆત કરી હતી.

દાકીયાએ જણાવ્યું કે અસ્વચ્છ વ્યવસાય તમે ભાવનગર જિલ્લાના ૮૪૧૫ જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનોને રૂ.૧ કરોડ ૫૫ લાખ ૮૫ હજાર જેવી શિષ્યવૃતિઓ અપાયું મુકી છે જેમાં મહુવા, ઘોઘા, ઉમરાળા,ગારિયાધાર, વલ્લભીપુર,જેસર, પાલિતાણા, સિહોર અને ભાવનગરનો સમાવેશ થવા જાય છે.(૨૮.૧)

(11:50 am IST)