Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલના પત્નીને કોરોના

ગઇકાલે સેમ્પલ લેવાયાઃ જો કે હજુ રીપોર્ટ આવવાનો બાકીઃ રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં

જુનાગઢ, તા., ૧૧: જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલના ધર્મપત્ની કોરોના સંક્રમીત થતા તેઓને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ મહાનગરના મેયર ધીરૂભાઇ ગોહેલના ધર્મપત્ની મીનાબેન ગોહેલને કોરોનાના લક્ષણ જણાતા તેમને રાજકોટ ખાતેની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ કે, તેમના પત્ની મીનાબેન ગોહેલને તાવ આવતો હતો અને તાવ નહી ઉતરતા ગઇકાલે સામેથી તેઓનું સેમ્પલ લેવામાં આવેલ જો કે હજુ સેમ્પલનો રીપોર્ટ આવ્યો નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે રાત્રીના જ રાજકોટની ખાનગી સ્ટાર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

(12:03 pm IST)