Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ગોંડલ ચરખડીના સેવાભાવી વૃધ્ધ પ્રભુદાસભાઇનો જીવન દીપ બુજાયોઃ ૪ પુત્રીઓએ કાંધ આપી પિતાને વિદાય

મિસ્ત્રી વૃધ્ધના મૃત્યુથી ચરખડી ગામમાં શોક છવાયોઃ ગામની ઘણી સમસ્યાઓ પણ ઉકેલીતી

ગોંડલ તા. ૧૧ :.. ગોંડલના ચરખડી નિવાસી મિસ્ત્રી પ્રભુદાસભાઇ ગોકળદાસભાઇ ધોરાજીયાનું ગત તા. ર૯-૬ ના રોજ અવસાન ૬પ વર્ષની ઉમરે થયું હતું.

સ્વ. પ્રભુદાસભાઇ ધોરાજીયા ઘણી બિમારીથી પીડાતા હતા પણ એમનું મનોબળ ઘણું મજબુત હોવાથી તેઓએ આ બધી બીમારીને ગણકારતા નહીં તેમને ગામના ઘણા કામ જેમ કે ગામના ચોરા બનાવવના હોય, પટેલ સમાજ, હોય મંદિરો બનાવવાન કે કિડીયા ઘર બનાવવા હોય આવા બધા જ કામો એમને જીવનના અંત સુધી નિષ્ઠાપૂર્વક કર્યા હતા સાથે સાથે તેઓ એક સચોટ તથા તટસ્થ માર્ગ દર્શક પણ હતા ગામની ઘણી સમસ્યાના ઉકેલ એમને તેમના જીવન કાળ દરમ્યાન લાવ્યા હતાં.

આવા કર્તવ્યનિષ્ઠ, વ્યવહારિક તથા હંમેશા સમાજ સેવા માટે ખડેપગે ઉભા રહેનારા સામાજીક કાર્યકર એવા સ્વ. પ્રભુદાસભાઇ ધોરાજીયાને ચાર પુત્રી જેમાં પ્રજ્ઞાબેન મિસ્ત્રી, શકિતબેન ચુડાસમા, ધર્મિષ્ઠાબેન મીસ્ત્રી, તૃપ્તીબેન ભોળા અને એક પુત્ર કૌશીકભાઇ ધોરાજીયા છે. તેમને તેમની પુત્રવધુ એકતાબેન વાડોદરીયાને પણ પાંચમી દિકરીનો પ્રેમ આપ્યો હતો.

એમના દુઃખદ અવસાન પર તેમની ચારેય દિકરી તથા પુત્ર એ કાંધ આપીને પિતાને વસમી વિદાય આપી હતી.

(11:41 am IST)