Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોયલાણાનો ફરારી દરબાર ઝડપાયો

ગીર સોમનાથ : જીલ્લા પોલીસડાશ્રી  રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા બાબતે આપેલ સુચના અનુસાર ગીર સોમનાથ એસ.ઓ.જી. પો. ઇન્સ. એસ.એલ. વસાવા, પો.સબ. ઇન્સ.વી.આર. સોનારાના માર્ગદર્શન એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. એલ.ડી. મેતા તથા એ.એસ.આઇ. નરવણસિ઼હ કે. ગોહિલ તથા ગોવિંદભાઇ બી. વંશ એ રીતના વેરાવળ સીટી પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમિયાન એએસઆઇ નરવણસિંહ ગોહિલ તથા પો. હેડ કોન્સ. ગોવિંદભાઇ વશને મળેલ બાતમી આધારે કોડીનાર પો. સ્ટે.ના ગુ.ર.નં. ૧૧૮૬૦૦રર૦૦૧પ૬-ર૦ર૦ પ્રોહી કલમ ૬પઇ, ૯૮(ર), ૯૯, ૮૧ મુજબના ગુનાના કામે સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનો નાસતો ફરતો આરોપી જીતેન્દ્રસિંહ પ્રીવણસિંહ રાયજાદા, ઉ.વ.૩પ, દરબાર રહે. કોયલાણા, તા. કેશોદ, વાળાને વેરાવળ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઇ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ ધોરણસર કાર્યવાહી કરી કોડીનાર પો. સ્ટે.ને. સોંપી આપવા તજવીજ કરેલ છે.

(11:39 am IST)