Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બેકાબુઃ એક જ દિવસમાં ૧પ કેસ પોઝીટીવઃ લોોકમાં ફફડાટ

તાલાલાનાં આંકોલવાડી, ધાવા, બોરવાવ, ચિત્રોડ અને તાલાલાનાં યુવાને તેમજ ઉનાના ગરાળવાળી, દેલવાડા, અંજાર, કાણેક, બરડા, અમોદ્રા, ઉનાના મહિલા અને પુરૂષ તથા વેરાવળના પુરૂષને કોરોના વળગ્યો

વેરાવળ તા.૧૧ : ગીર સોમનાથમાં કોરોના કાબુ બહાર થયો છે એક જ દિવસમાં ૧પ પોઝીટીવ કેસ નોંધાયા છે. લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાથે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

ગીર સોમનાથ જીલ્લામાં એક જ દિવસમાં ૧પ વધુ કેસ નોંધાયા છે. તેમ તાલાળાના આંકોલવાડી ર૪ વર્ષીય પુરૂષ, તાલાળાના ધાવાના ૪૪ વર્ષીય પુરૂષ તાલાળાના બોરવાવના ૪૪ વર્ષીય પુરૂષ, તાલાળાના ચિત્રોડના ર૪ વર્ષીય મહિલા, તાલાળા શહેરી વિસ્તાર ર૮ વર્ષી્ય પુરૂષ, ઉના તાલુકાના ગરાળવાડી વિસતારના ૪પ વર્ષીય, ઉના તાલુકાના ગરાળવાડી વિસ્તારના ૪૦ વર્ષીયપ ુરૂષ, ઉના તાલુકાના દેલવાડાના ૩૪ વર્ષીય પુરૂષ ઉનાના શહેરી વિસ્તાર ૩૦ વર્ષીય મહિલા, ઉનાના શહેરી વિસ્તાર ૭૦ વર્ષીય મહિલા, ઉનાના શહેરી વિસ્તાર ૩ર વર્ષીય પુરૂષ અને વેરાવળના શહેરી વિસ્તાર પ૮ વર્ષીય પુરૂષ અને કોરોના વળગ્યો છે.

આજ રોજ કુલ ૧પ કેસ નોંધાયા છેે. તેમજ વેરાવળ આઇ.ડી.ચૌહાણ હાઇસ્કુલ સુપર કોલોનીમાં રહેતી ૬૦ વર્ષીય વૃધ્ધ મહિલાનું કોરોના પોઝીટીવ આવ્યા બાદ મૃત્યુ પામેલા છે. મરણનું કારણ ડેથી ઓડીટ કમીટીદ્વારા આવ્યે જાણ કરવામાં આવશે.

(11:38 am IST)