Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

હેલીકોપ્ટરમાં ફોલ્ટ સર્જાતા વિજયભાઇ કારમાં પોરબંદર અને ત્યાંથી ગાંધીનગર ગયા

વેરાવળ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હેલીકોપ્ટરમાં ફોલ્ટ સર્જાયા બાદ તેઓશ્રી કાર માર્ગે પોરબંદર અને ત્યાંથી ગાંધીનગર જવા રવાના થયા હતાં. તસ્વીરમાં હેલીકોપ્ટર, કાર તથા મુખ્યમંત્રીશ્રીનો કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કક્કડ-વેરાવળ)

વેરાવળ તા. ૧૧ : શ્રી સોમનાથ મહાદેવના દર્શને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાલે પરિવાર સાથે  હેલીકોપ્ટરમાં આવ્યા હતાં.

આજે સવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, સહિતના ગાંધીનગર જવા હેલીપેડ ખાતે પહોંચ્યા હતા.

પરંતુ હેલીકોપ્ટરમાં ટેકનીકલ ફોલ્ટ સર્જાતા તેઓ શ્રી મોટર માર્ગે પોરબંદર પહોંચ્યા હતાં. અને ત્યાંથી ગાંધીનગર જવા રવાના થયા હતાં.

હેલીકોપ્ટરમાં ફોલ્ટ સર્જાતા થોડીવાર માટે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

(11:31 am IST)