Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જૂનાગઢમાં પાણીની સમસ્યા નિવારવા વિશેષ પ્રોજેકટ અમલમાં: નીતિનભાઈ પટેલ

૧૩ ઝોનમાં ૫૨.૪૨ કરોડ મંજુરઃ બે વર્ષમાં કાંઈ ખર્ચ નથી

ગાંધીનગર, તા. ૧૧ :. જૂનાગઢ જીલ્લામાં પાણીની સમસ્યા અંગે કોંગ્રેસના ભીખાભાઈ જોષીના પ્રશ્નના ઉત્તરમાં શહેરી વિકાસ મંત્રી શ્રી નિતીનભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે જૂનાગઢ શહેરમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે વિશેષ પ્રોજેકટ અમલમાં આવેલ છે.

અટલ મીશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મ (અમૃત) યોજના અંતર્ગત જૂનાગઢ શહેરમાં કુલ ૧૫ ઝોન પૈકી ૧૩ ઝોનના રૂ. ૫૨.૪૨ કરોડના ડી.પી.આર. મંજુર કરવામાં આવેલ છે જે અન્વયે ૮ ઝોનના ટેન્ડરમાં વર્ક ઓર્ડર આપવાની કામગીરી પ્રગતિમાં છે.

આ પ્રોજેકટમાં છેલ્લા બે વર્ષમાં કોઈ ખર્ચ થયેલ નથી.

(3:50 pm IST)