Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જામનગરમાં ગ્રીનસીટી વિસ્તારમાં વૃક્ષારોપણ કરી સોસાયટીને ખરા અર્થમાં ગ્રીન બનાવતા રહેવાસીઓ

જામનગર  : દેશ અને દુનિયામાં હાલમાં જયારે ગ્લોબલ વોર્મિગની પરિસ્થિતી સર્જાઇ રહી છે, ત્યારે દિવસે-દિવસે વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે, તેવામાં જામનગર શહેરમાં આવેલા ગ્રિનસિટી વિસ્તારમાં રહેતા રહેવાસીઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ વિસ્તારના લોકો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ તકે સર્વધર્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખશ્રી રમેશભાઇ કનખરા, ડો. પ્રદીપ પીઠડીયા, ટીલુ મહેતા, રજનીકાકા, મિતેષભાઇ, મહેમુદભાઇ ધારીયા અને આશાબેન, પ્રાંચીબેન સહિત મોટી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થકી ગ્રીનસીટી વિસ્તારના લોકોએ તેમની સોસાયટીને ખરા અર્થમાં ગ્રીન બનાવી હતી. (તસ્વીર-અહેવાલ મુકુંદ બદિયાણી જામનગર)

(1:16 pm IST)