Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ચોટીલાનાં ધોળીયામાં પ્રા.શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારીને રૂમમાં પુરી દીધા :ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

ચોટીલાનાં ધોળીયા ગામે પ્રા.શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના બનતા ભારે રોષ ફેલાયો હતો આ અંગે મળતી વિગત મુજબ . શાળામાં બાહર રમતા 15 જેટલા બાળકોને માર મારીને રૂમમાં પુરી દીધા હતા. બાળકોને કયા કારણસર માર માર્યો તે જાણવા મળેલ નથી. પરન્તુ સ્કૂલમાં બાળકોને માર માર્યાની જાણ થતા ગામ આગેવાનો સ્કૂલે દોડી ગયા હતા. બાળકોને મારવાની ઘટનાથી શિક્ષણ જગત સ્તબ્ધ થઇ ગયુ છે અને ગામ્રજનોએ ઉગ્ર વિરોધ કરીને તપાસની માગ કરી છે.

(1:04 pm IST)