Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભાવનગરના ચકચારી કાળીયાબીડ ખુન કેસનો નાસતો ભાગતો આરોપી ઝડપાયો

ભાવનગર તા.૧૧: તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ એઙ્ગ જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ જે અનુંસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એ નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી ના આદેશથી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટઙ્ગ તથા એચ.એસ.ત્રિવેદી પો.સ.ઇ.શ્રી ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૧૫/૨૦૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ ૩૦૭ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જયદીપ ઉર્ફે ચીનો જોરસંગભાઇ પરમાર ઉ.વ.૩૧ રહેવાસી હાદનગર સત્યનારાયણ સોસાયટી-૧ પ્લોટ નંબર ૧૮/બી ભાવનગર વાળાને ભાવનગર નારી ચોકડી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ શ્રી.એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

(11:25 am IST)