Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વંથલીના ધંધુસરના કારીબેન મેરનો માનસિક બિમારીને લીધે આપઘાત

એસિડ પી લેતાં રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૧: વંથલીના ધંધુસરમાં રહેતાં કારીબેન હમીરભાઇ સુતરેજા (ઉ.૬૦) નામના મેર વૃધ્ધાએ ગઇકાલે બપોરે એસિડ પી લેતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સાંજે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે વંથલી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કારીબેન બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા અને અપરિણીત હતાં. માનસિક બિમારી હોઇ તેનાથી કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:17 am IST)