Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મહુવા પંથકની સગીરાના બળાત્કાર કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

રાજુલા, તા. ૧૧: અત્રે સગીરા સાથેના બળાત્કાર કેસમાં પકડાયેલ આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૩૦-૩-ર૦૧૧ના રોજ ફરીયાદી તા. મહુવાવાળાએ પોતાની સગીરવયની દિકરી લલચાવી, ફોસલાવી ફરીયાદીના વાલીપણામાંથી રહે. ઝાંપોદર તા. રાજુલામાંથી ભગાડી લઇ જઇ આરોપી અરજણ જેઠાભાઇ ચુડાસમા રહે. છારા તા. કોડીનારવાળાના ઘેર રાખી સગીરા સાથે આરોપી દિનેશભાઇ ઉકાભાઇ પરમાર રહે. નાથડ તા. ઉનાવાળાએ બળાત્કાર કરી અને આરોપી વિક્રમભાઇ મોહનભાઇ કોળી રહે. વિસળીયા તા. રાજુલાવાળાએ ફરીયાદીની દિકરીને ઝાંપોદરથી ઉના ગામથી આગળ સુધી મોટર સાયકલ પર લઇ જઇ અને આરોપી અરજણભાઇ ભીખાભાઇએ ઘરમાં આશરો આપી તેના ઘરે રાખી રહેવા માટે જુદી રૂમ આપી કોઇને ખબર પડી ન જાય તેમજ ભોગ બનનાર પાસે જવા ન દઇ ધ્યાન રાખી સગીર વયની હોવાનું જાણવા છતાં લગ્ન કરાવી આપી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હતો.

આ અંગેનો કેસ ચાલી જતા રાજુલાના એડી. સેસન્સ જજ એ.કે. શાહે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો ચૂકાદો જાહેર કરેલ છે, સદરહુ કામમાં આરોપીના વકીલ તરીકે અત્રેના રાજુલાના સીનીયર એડવોકેટશ્રી હાતિમભાઇ હુસેનભાઇ કપાસી (કપાસીભાઇ) રોકાયેલ હતા.

(11:24 am IST)