Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

માણાવદરની જરૂરીયાત ૩પ લાખ લીટરને દરરોજ મળે છે પાણી ૧૮ થી ર૦ લાખ

માણાવદર, તા., ૧૧: માણાવદરની દૈનિક જરૂરીયાત ૩પ લાખ લીટર પીવાના પાણીની છે. પરંતુ તેની સામે પા.પુ. દ્વારા ૧૮ થી ર૦ લાખ લીટર મળતું હોવાનું પાલીકા જણાવે છે. પાલીકાએ તંત્રને દરરોજ ૩પ લાખ લીટર પાણી આપવા માંગણી કરી છે. ત્યારે પણ પ થી ૬ દિવસે પાણી માંડ મળી શકે કેમ કે વસ્તી વિસ્તાર વધ્યા પાણીની આવક સ્ત્રોત તળીયા ઝાટક થયા છે હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પુરતો પાણી પુરવઠો મળે તે જરૂરી છે.

(12:04 pm IST)