Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જોડિયામાં ગ્રામસભા યોજાઇ : પ્રશ્નો ઉકેલવા અંગે વિવિધ ઠરાવો પસાર

જોડિયા તા.૧૧ : વર્ષ ૨૦૧૯-૨૦નો પ્રથમ ગ્રામસભા સરપંચ નયનાબેન અશોક વર્માના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

તલાટી મંત્રી પુષ્પરાજ જાડેજાએ ગામસભા કાર્યક્રમમાં એજન્ડામાં સમાવિષ્ટ મુદ્દાઓની વિગતવાર રજૂ કરેલ અને ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે ઠરાવો પસાર કરીને જે તે વિભાગને પ્રશ્નો ઉકેલવા માટે મોકલવામાં આવશે. તેમ જણાવેલ ગામ સભા કાર્યક્રમમાં પંચાયતના સભ્યો, શિક્ષણ, આરોગ્ય, પંચાયતી રેવન્યુ તથા આંગણવાડી વર્કરો તથા સ્થાનિકતંત્રના જૂદા જૂદા વિભાગોના કર્મચારી ઉપરાંત સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.

સંચાલક ત.ક.મંત્રી પુષ્પરાજ જાડેજા દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લાના પ્રતિનિધિ પીજીવીસીએલના અધિકારી તથા જોડિયા વીજબોર્ડના ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામ પંચાયતના હેડ કલાર્ક હરીશ જોશીએ મુદ્દાઓનું વાંચન અને કાર્યક્રમની આભારવિધી તેઓના ફાળે આવી હતી.

(12:02 pm IST)