Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

થાનગઢનો પીડિત દલિત પરિવાર રાજ્યપાલને મળવા પહોંચ્યો

જલ્દી તપાસ અને દોષિતોને જેલ હવાલે કરવા માંગ :એક મહિના પછી રાજભવન પાસે નિર્વસ્ત્ર દેખાવ કરવા ચીમકી

થાનગઢમાં 7 વર્ષ પહેલાં દલિતો પર થયેલા ફાયરીગ કેસમાં પીડિત પરિવાર રાજ્યપાલને મળવા પહોંચ્યો હતો.પીડિત પરિવારે રાજ્યપાલને મળી આ કેસમાં જલ્દી તપાસ થાય અને દોષીતોને સરકાર જે પ્રમોશન આપ્યું છે તે અટકાવી દે અને દોષીતોને જેલ હવાલે કરાય તેવી રજૂઆત કરી હતી.

  રાજ્યપાલે પીડિતોની સીટને જલ્દી તપાસ કરશે તેવી વાત કરી હતી. આ સાથે પીડિત પરિવારે એસઆરપી સુરક્ષાની માંગ કરી હતી. આ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો રાજ્યપાલ તરફથી કોઇ પ્રત્યુતર નહીં મળે તો એક મહિના પછી રાજભવન પાસે નિર્વસ્ત્ર દેખાવ કરશે.

(11:06 pm IST)