Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પુત્રનું ખુન થયાની ફરીયાદ બાદ વાંકાનેરનાં જાવેદ કડીવારના મૃતદેહને કબરમાંથી બહાર કઢાયો

 વાંકાનેર તા ૧૧ : વાલાસણ ના હૂશેનભાઇ કડીવાર તથા અમીનાબેન કડીવાર ના પુત્ર જાવેદના લગ્ન કરાયા બાદ પત્નિની અવારનવાર જીદના કારણે જાવેેદે વાંકાનેર ખાતે ગુલશન પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં રહેણાંક કરેલ અહીં જાવેદનું અચાનક મૃત્યુ થતા મૃતકે ઝેરી દવા પી લેતા મૃત્યુ થયાનું જાહેર થયેલ દફન પૂર્વે લાશનું પી.એમ. કરાયુ હતુ પરંતુ મૃતક યુવાન જાવેદની માતા અમીનાબેન ને પુત્રનું ખૂન થયાની દઢ શંકા જતા ફરીયાદ બાદ કોર્ટે આદેશ કરેલ જે મુજબ આજે સોમવારે વાલાસણ ખાતેના કબ્રસ્તાનમાં દફત કરાયેલ મર્હુમ જાવેદના મૃતદેહને ચાર માસ બાદ મામલતદાર, પીઆઇ તથા તેના સ્ટાફની તથા ગામના સરપંચની હાજરીમાં મૃતદેહ બહાર કઢાઇને તપાસ અર્થે લઇ જવાયેલ છે.

મૃતકને માથા-શરીરમાં માર મારી મોત નિપજાવ્યા બાદ ઝેરી દવા પીવડાવાયેલ હવે માતાની આ ફરીયાદ બાદ એફએસએલ રીપોર્ટમાં કયા રહસ્યોનો પર્દાફાશ  થશે. તે ઐગેની ચર્ચાઓ સમગ્ર વાંાનેર પંથકમાં થઇ રહી છે. કોર્ટના હુકમ ના આધારે પોલીસેે ૩૦ર યાને ખુનના ગુનો દાખલ કરેલ હોય આ આરોપીની આવનારા દિવસોમાં ધરપકડ થવાના ભણકારા વાગી રહયા છે. (૪.૧૪)

(3:33 pm IST)