Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાવનગર : 'પદ્મશ્રી' મનોજ જોષી અને વડીલોનું સન્માન

ભાવનગર : સાબરકાંઠા વિકાસ પરિષદ દ્વારા પદ્મશ્રી મનોજભાઇ જોષીને સેવા ભેખધારી ચંદુભાઇ શાહએ પ્રશસ્તિપત્ર આપી બહુમાન કર્યુ હતુ. અભિવાદન સમારોહમાં સતીષભાઇ વી.શાહ, સુરેશભાઇ વી.પટેલ તેમજ દિનેશભાઇ સુથારના હસ્તે સાબરકાંઠા - અરવલ્લીના મુખપત્રનું વિમોચન થયેલ. ઉદ્યોગપતિ વિમલભાઇ શાહએ ૯૦ વર્ષ વટાવી ચુકેલ વડીલોનું સન્માન કરી આશીષ મેળવ્યા હતા. સંગીત સંધ્યા, પ્રભુ પ્રસાદનો સાબરકાંઠા અરવલ્લી જન્મભુમીના લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.(૪૫.૬)

 

(12:17 pm IST)