Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ટંકારાના ધ્રુવનગર પાસે આઇસરે-ટ્રેકટરને ઠોકર મારતા પટેલ પિતા-પુત્રનું મોત

પિતા ભાણજીભાઇ તેના પુત્ર પ્રવિણભાઇ ટ્રેકટરનું ટાયર બદલાવતા'તા ને આઇસરે ઠોકરે ચડાવ્યાઃ પટેલ પિતા-પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

ટંકારા તા. ૧૧ :.. રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર ધ્રુવનગર પાસે, આઇસર મેટાડોર અને ટ્રેકટર વચ્ચે થયેલ ગમખ્યાર અકસ્માતમાં નાના ખજડીયા ગામના ખેડૂત પિતા-પુત્રનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ખેડૂત ભાણજીભાઇ ગોવિંદભાઇ દેત્રોજા (ઉ.વ.૬પ) તથા તેમના પુત્ર પ્રવિણભાઇ ભાણજીભાઇ દેત્રોજા (ઉ.વ.૩૮) ટ્રેકટરમાં ચણા તથા ખેતીની જણસ ભરી, મોરબી યાર્ડમાં વેચવા જતા હતા ત્યારે ધ્રુવનગરથી મોરબી તરફ જતા પંચર પડયુ હતું.

ત્યારે ટાયર બદલતા હતા તે સમયે અમુલ દૂધના આઇસરે હડફેટે લઇ લેતા પિતા-પુત્રના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતાં. અકસ્માત સર્જાતા આસપાસ લોકો એકઠા થઇ ગયા હતાં. અને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સના આઇએમટી ડો. વલ્લભભાઇ લાઠીયા, તથા ટંકારા પોલીસ ડો. વલ્લભભાઇ લાઠીયા, તથા ટંકાર પોલીસ દોડી ગયા હતા અને મૃતદેહને પી. એમ. માટે સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જાણ થતા ટંકારા પોલીસના સુરેશભાઇ ઠોરીય, તથા ઇન્દુભાએ સ્થળ પર પહોંચી તપાસ આદરી છે.

નાના ખીજડીયા ગામે પિતા-પુત્રની અર્થી એકી સાથે ઉઠતા કુટુંબીજનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં સ્મશાન યાત્રામાં જોડાયા હતાં. (પ-૧૧)

(12:16 pm IST)