Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પોરબંદરમાં પૂ. ભાઇશ્રીની પ્રેરણાથી અનાજ કીટોનું વિતરણ

જુનાગઢ : પોરબંદરમાં ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી વર્તમાન કોરોનાની મહામારીને ધ્યાને લઇ જરૂરીયાતમંદ પરિવારોને સતત ૪ દિવસ અન્નની કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ સાંદિપની વિદ્યા નિકેતન જેસીઆઇના સહયોગથી પ્રથમ દિવસે ૧૦૦ પરિવારોને કિટ આપવામાં આવેલ તેમજ સત્યનારાયણ મંદિર ખાતે ઓમ ગ્રુપના સહયોગથી ૧૦૦ પરિવારોને કીટ આપવામાં આવી હતી તેમજ ઓટો રીક્ષા એસોસીએશનના સહયોગથી ૧૦૦ જેટલા રીક્ષા ચાલક પરિવારોને અન્ન કિટનું વિતરણ કરાયુ હતું આમ કુલ ૪૦૦ અન્ન કિટોનું જરૂરીયાતમંદોને  વિતરણ કરેલ તે તસ્વીરો (અહેવાલ : વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:48 pm IST)