Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ભાવનગર સર.ટી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે અલાયદો વોર્ડ અલગ વોર્ડ શરૂ કરાયો

ભાવનગર :એક બાજુ કોરોનાની મહામારી શાંત પડી રહી છે. છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરતા સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વચ્ચે મ્યુકોરમાઇકોસિસ બીમારીએ ભરડો લીધો છે.

કોરોના બાદ હવે મ્યુકોરમાઈસિસનો ચેપ ફેલાતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં અલગ વોર્ડની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ નિર્ણય કરતા ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે અલગ વોર્ડ શરૂ કરવામાં આવેલ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 60 પથારીના અલગ અલગ વોર્ડની રચના કરવામાં આવી છે.

(12:17 pm IST)