Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ૪ દર્દીના મોત અને ૩૩૮ કોરોના પોઝિટિવ કેસઃ ૩૩૦ દર્દીઓ બન્યા કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૭,૬૮૩ કેસો પૈકી ૪,૪૩૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૧: ભાવનગર જિલ્લામા નવા ૩૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૭,૬૮૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૪૦ પુરૂષ અને ૭૪ સ્ત્રી મળી કુલ ૨૧૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૨૪, દ્યોદ્યા તાલુકામાં ૧૦, તળાજા તાલુકામાં ૫૧, મહુવા તાલુકામાં ૧૩, પાલીતાણા તાલુકામાં ૪, સિહોર તાલુકામાં ૮, ગારીયાધાર તાલુકામાં ૭ તેમજ ઉમરાળા તાલુકામાં ૭ કેસ મળી કુલ ૧૨૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળી કુલ ૪ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૮૮ અને તાલુકાઓમાં ૪૨ કેસ મળી કુલ ૩૩૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૭,૬૮૩ કેસ પૈકી હાલ ૪,૪૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૩૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:02 am IST)