Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જસદણમાં અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન તા. ૨૦ સુધી લંબાવ્યું

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ૧૧  : જસદણમાં કોરોના સંક્રમણ અટકાવવા છેલ્લા સવા મહિનાથી ચાલતું સ્વૈચ્છિક અડધા દિવસનું લોક ડાઉન તા. ૨૦-૫ સુધી લંબાવવામાં આવ્યું છે. વહીવટીતંત્ર અને અગ્રણીઓએ ચર્ચા-વિચારણા કર્યા બાદ તા. ૨૦-૦૫-૨૦૨૧ સુધી જસદણમાં બપોરે એક વાગ્યા બાદ તમામ વેપાર-ધંધા દુકાન સ્વૈચ્છિક બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જસદણ શહેરમાં વેપારીઓ સ્યયંભુ સ્વૈચ્છિક બપોરે એક વાગ્યા પછી બંધ રાખતા હોઈ વહીવટીતંત્રએ જસદણ નાં વેપારીઓની કોરોના નિયંત્રણ માટેની સ્વૈચ્છિક બંધ રાખવાની કામગીરીને બિરદાવી હતી. જસદણમાં છેલ્લા પાંચ દિવસ થી કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અત્રેઉલ્લેખનીય છે કે બપોરે એક વાગ્યા બાદ કરિયાણા સહિત ની તમામ દુકાનો બંધ રહે છે. માત્ર મેડિકલ સ્ટોર જ ખુલ્લા રહે છે.

(11:00 am IST)