Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

જામનગરમાં કોરોનાની સ્થિતિ વધુ વણસતા ખાટલા ખૂટી પડ્યા : તાત્કાલિક નેવી વાલસુરા ખાતેથી ૧૫૦ જેટલા ખાટલા લાવવા પડ્યા

જી.જી.હોસ્પિટલમાં 37 ખાટલા ઉપરાંત ડેન્ટલ કોલેજમાં પણ તાબડતોબ 113 જેટલા ખાટલા ગોઠવાયા

જામનગરમાં કોરોનાની સ્થિતિ વધુ વણસતા ખાટલા ખૂટી પડ્યા છે ત્યારે ખાસ નેવીમાંથી મહાનગરપાલિકાના amc ડો. ભાર્ગવ ડાંગર અને એસ્ટેટ વિભાગના રાજભા સહિતની ટીમે તાત્કાલિક નેવી વાલસુરા ખાતેથી ૧૫૦ જેટલા ખાટલા સારવાર માટે લાવવામાં આવ્યા છે જામનગરની જી.જી.હોસ્પિટલમાં 37 ખાટલા ઉપરાંત ડેન્ટલ કોલેજમાં પણ તાબડતોબ 113 જેટલા ખાટલા ગોઠવવામાં આવ્યા છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(9:38 pm IST)