News of Thursday, 11th April 2019
સુરેન્દ્રનગર :રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરાના સમર્થનમાં માલધારી સમાજના સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આ ચૂંટણી ઇમાનદાર સામે બેઇમાનોની છે. ૨૦૧૪ પહેલાં ભારતને દુનિયાના દેશો એક ભ્રષ્ટ દેશ તરીકે જોતા હતાં. ૨૦૧૪ પહેલાં ભારતને દુનિયાના દેશો એક ભ્રષ્ટ દેશ તરીકે જોતા હતાં. ૨૦૧૪ પછી વિશ્વના દેશો ભારત અને ભારતીયોને સન્માનથી જોતા થયા છે. પહેલાં વિદેશોમાં ભારત દેશ એક ગરીબ અને પછાત દેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ આપણાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અથાગ પરિશ્રમના કારણે આજે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતો દેશ બન્યો છે. આના કારણે વિવિધ દેશોમાંથી ભારતમાં અઢળક મૂડી રોકાણ આવતું થયું છે, નવી ટેકનોલોજીથી વિવિધ ક્ષેત્રોમાં અસંખ્ય રોજગારીની તકો ઉભી થઇ છે.
હવે, દેશમાં જ્યારે ૨૦૧૯માં લોકતંત્રના મહાપર્વની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે, ત્યારે કોંગ્રેસ અને મહાગઠબંધનના નેતાઓ દેશના ખૂણે ખૂણે જઇ મોદી હટાવો.... મોદી હટાવો......ની બુમો પાડે છે, ત્યારે દેશના સપૂત શ્રી નરેન્દ્રભાઇ મોદી ગરીબી હટાવો, બેકારી હટાવો, ભ્રષ્ટાચાર હટાવોના સંકલ્પ સાથે અથાગ પરિશ્રમ કરી રહ્યાં છે.
કોંગ્રેસે હંમેશા પરિવારવાદને જ પોષ્યો છે. આતંકવાદને ખુલ્લું સમર્થન આપ્યું છે. દેશની જનતા સમક્ષ કોંગ્રેસે જુઠ્ઠા વાયદાઓ કરીને યેનકેન પ્રકારેણ સત્તાના સુત્રો સંભાળી ગરીબ, કિસાન, પિડીત, શોષિત, દલિત અને આદિવાસીઓનું શોષણ કર્યુ છે. કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતી જ કરી છે. કોંગ્રેસે તેમના કુશાસન દરમ્યાન વિવિધ રાજ્યોમાં અનામતના નામે વિવિધ જાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ કરાવીને આંદોલનો કરાવ્યાં છે
. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કરેલ અવિરત વિકાસ જોઇને દેશમાં વડાપ્રધાન તરીકે તેઓની માંગ ઉઠવા પામી હતી. દેશની જનતાએ તેમને સંપૂર્ણ બહુમતી સાથે વિજયી બનાવીને દિલ્હીની ગાદી પર બેસાડ્યાં હતાં. સત્તાના સુત્રો સંભાળતાંની સાથે જ અગાઉની સરકારના કૌભાંડોને ઉજાગર કરી કૌભાંડી નેતાઓને જેલના દરવાજા સુધી લઇ ગયાં છે અને સાથે-સાથે ગુજરાત રાજ્યમાં તેઓની અવિરત વિકાસ યાત્રા જેમ જ દેશની વિકાસ યાત્રા પણ શરૂ કરી હતી.
શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભારત દેશને સબળ, સુરક્ષાની દ્રષ્ટિએ સક્ષમ અને તમામ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા અને દેશના નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવા અવિરત પ્રયાસો કરી રહ્યાં છે તેમજ દેશની જનતાના પૈસા કોઇ લૂંટી ન જાય તે માટે ચોકીદાર બની અડિખમ ઉભા રહ્યાં છે. જેઓ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા, આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે કામ કરી રહ્યાં હોય ત્યારે દેશની જનતા તેમના પર સંપૂર્ણ ભરોસો કરી ગુજરાતમાં ત્રીજા ચરણમાં યોજાનારી ચૂંટણીમાં ૨૬ માંથી ૨૬ કમળ આપશે તેવો શ્રી રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ માલધારી સમાજના સંમેલનમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, પ્રદેશ અગ્રણીઓ, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, જિલ્લા સંગઠનના પદાધીકારીઓ અને વિશાળ સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.