Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પૂ. હરીચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ગોંડલમાં ચેતેશ્વર પુજારા પરીવાર દ્વારા પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત કથા

ગોંડલ, તા., ૧૧: ગોંડલમાં પૂ. હરીચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં  પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ક્રિકેટર ચેતેશ્વર પુજારા પરીવાર દ્વારા શ્રીમત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ.પૂ. મહામંડલેશ્વર સદગુરૂ દેવશ્રી હરીચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી રામજી મંદિર ટ્રસ્ટ ગોંડલ દ્વારા ૧૦૮ પોથીજી અષ્ટોતરશત શ્રીમત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવત કથાના વ્યાસાસને પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)બિરાજશે અને તા. ૪-૯-ર૦૧૯થી તા. ૧૧-૯-ર૦૧૯ સુધી દરરોજ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.  શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મુખ્ય યજમાન પદે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર અરવિંદભાઇ પુજારા રહેશે.

(1:28 pm IST)