Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચોરવાડનાં ગડુમાં એકલવાયું જીવન જીવતાં પ્રૌઢનું દાઝી જતાં મોત

જુનાગઢનાં વૃધ્ધનું બિમારીથી મૃત્યુ

 જુનાગઢ તા. ૧૧: ચોરવાડનાં ગડુમાં એકલવાયુ જીવન જીવતાં મંજુલાબેન તુલસીભાઇ (ઉ.વ. પ૦) નામનાં પ્રૌઢનું દાઝી જવાથી મૃત્યુ થયાનું જાણવા મળેલ છે.

મૃતક પ્રૌઢા કોઇ કારણસર દાઝી જતાં તેમને જુનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં તેમનું મોત થયું હતું.

જયારે જૂનાગઢની ડ્રીમલેન્ડ સોસાયટીમાં રહેતા કાનાભાઇ દેવાભાઇ ગોહેલ (ઉ.વ. ૬૦) નામના દલિત વૃધ્ધનું બિમારી સબબ મૃત્યુ થતાં તેમનાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

આ વૃધ્ધને તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે કાનાભાઇને મૃત જાહેર કર્યા હતા.

(11:47 am IST)