Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કચ્છના બરંદામાં ઝેરી ચારો ખાવાથી ૮ ભેંસના મોત

ભુજ તા. ૧૧ : કચ્છના લખપત તાલુકાના બરંદા ગામે લીલી જુવાર ખાધા બાદ પાણી પીનાર ભેંસોને ઝેરી અસર થઈ હતી.

આ ઘટના સંદર્ભે સરકારી પશુ ચિકિત્સક ને જાણ કરાતા ડો. ભાવિન રાજન દોડી આવ્યા હતા. પણ, સારવાર મળે તે પૂર્વે જ ૮ ભેંસોના ચારાની ઝેરી અસરના કારણે મોત નિપજયા હતા.

મૃત્યુ પામનાર તમામ ભેંસો બરંદા ગામના માલધારી રમઝાન જુસબ સમેજાની માલિકીની હતી. તલાટી તરુણ જોશી અને પશુ તબીબ ડો. ભાવિન રાજને પોર્સ્ટમોર્ટમ સહિતની સરકારી વિધિ કરી હતી.

(11:38 am IST)