Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સોમનાથ મંદિરના આસપાસના વિસ્તારને વેજ ઝોન બનાવો : કલેક્ટરને આવેદન પાઠવાયું

દેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારને વેજ ઝોન બનાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે ભાવિકો આસ્થા અને શ્રદ્ધાપૂર્વક સોમનાથ મંદિરે શિશ ઝૂકાવવા આવતા હોય છે. ત્યારે રસ્તામાં ઠેરઠેર માંસાહારની લારીઓ. હોટેલો તેમજ રેસ્ટોરન્ટ ઉપરાંત કસાઇખાનાને કારણે શ્રદ્ધાળુઓની લાગણી દુભાઇ રહી છે તેવા લાગણી સાથે સૌરાષ્ટ્ર હિન્દુ યુવા સંગઠન. સોમનાથ સેવા સંઘ તેમજ સોમનાથ-વેરાવળના અનેક યુવાનોએ વેરાવળથી બાઇક રેલી યોજી  જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં અંબાજી, ડાકોર, પાલિતાણા સહિતના ધાર્મિક સ્થળોને વેજ ઝોન જાહેર કરાયેલ છે. ત્યારે સોમનાથમાં પણ વેજ ઝોન બનાવવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.

(10:22 pm IST)