Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વેર હાઉસમાંથી ૧.૮૦ લાખના ધાણાની ચોરી

નયન ધોળકીયા, રાજ નકુમ તથા રાજ કણસાગરા સામે પોલીસમાં ફરીયાદ

 ગોંડલઃ   રાજકોટ રહેતા અને અન્યના પાલડી ગામ પાસે આવેલ પુષ્કર વેરહાઉસમાં ફરજ બજાવતા નરેન્દ્રકુમાર વૃંદાવનભાઈ કર બ્રાહ્મણે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે નયન ભરતભાઈ ધોળકીયા, રાજ ચંદ્રકાંતભાઈ નકુમ તેમજ રાજ કણસાગરાએ મળી વેરહાઉસમાંથી ધાણાની બોરી નંગ ૯૩ કિં. રૂ. ૧,૮૦,૦૦૦ આઈસર ટ્રક એમ.એચ. ૪૨ યુ ૫૮૪૬માં ભરી ચોરી કરી લઈ ગયેલ છે. આ અંગેની તપાસ આઈ.પી.એસ. એ.એન. વસાવાએ હાથ ધરી છે. ઉપરોકત ત્રણે શખ્સો વેરહાઉસના કર્મચારીઓ જ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું.

(4:12 pm IST)