Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કાલાવડ તાલુકાની શાળાઓમાં ગુણોત્સવ

કાલાવડ : તાલુકામાં પ્રથમ દિવસે તાલુકાની ૧૧૭ પ્રાથમિક શાળાઓમાંથી ૧૩ શાળાઓનું અધિકારીઓ દ્વારા બાહ્ય મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ અને ૪૭ શાળાઓનું સ્વ મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ તેમજ બીજા દિવસે પણ ૧૩ શાળાઓનું અધિકારીઓ દ્વારા બાહ્ય મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ અને ૪૪ શાળાઓનું સ્વ મુલ્યાંકન કરવામાં આવ્યું આ કાર્યક્રમની તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ એસ.એસ.સી સભ્યોએ કાર્યક્રમને વધાવ્યો હતો. લાઇઝન તરીકે બી.આર.સી. કો. ઓડીનેટર, સી.આર.સી કો-ઓર્ડિનેટરશ્રીઓ, કેળવણી નિરિક્ષકશ્રીઓ તેમજ બાહ્ય મુલ્યાંકન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ભાગ લીધો હતો. આયોજન બી.આર.સી કો-ઓર્ડીનેટર રાહુલકુમાર પી.વાળંદ તથા એસ.એસ.એ જામનગર દ્વારા કરાયું હતુ.(તસ્વીર - અહેવાલ : કમલેશ આશરા - કાલાવડ)

(11:27 am IST)