Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

પ્રભાસપાટણમાં વિર શહિદ કિશોર વાણવીના પત્નિ અને પુત્રનું સન્માન

પ્રભાસપાટણ તા. ૧૧ : પ્રભાસપાટણ સોમનાથ ખાતે યોજાયેલ સંવેદન સમાજ દ્વારા યોજાયેલ વિર શહિદ કિશોરભાઇ વાણવીની પત્ની વનિતાબેન અને તેમનો નાનો પુત્ર તથા માતાનું આગેવાનોએ સન્માન કર્યુ હતુ.

આ તકે ઉપસ્થિત અગ્રણીઓમાં જી.પ.પ્રમુખ મણીબેન રાઠોડ, જીલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ આમહેડા, પ્રો.પૂષ્પાબેન વાઢેર, યુવા લેખક મયુર વાઢેર, કવિ નિલેશ કાથડ, સુત્રાપાડા ન.પા.ના સભ્ય રાજાભાઇ વાણવી, વણકર સમાજના પટેલ પરસોતમભાઇ પટેલ, વાલ્મીકી સમાજ પ્રભાસપાટણના પટેલ પ્રવિણભાઇ  ચૌહાણ, મેઘજીભાઇ વાજા, કાંતીભાઇ ચુડાસમા, ટાભાભાઇ પરમાર, માનસીંગભાઇ ચાવડા, માલાભાઇ વાજા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. સમાજમાંથી વ્યસનો નાબુદ કરી અને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવેલ હતો. સફળ બનાવવા પ્રવિણભાઇ આમહેડા, રાજેશભાઇ ભજગોતર, હિતેષ  ચાંડપા, હરેશભાઇ ધોળીયા સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(11:23 am IST)