Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જુનાગઢ ઉપલા દાતારમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

જુનાગઢ : જુનાગઢ કોમી એકતાના પ્રતિક એવા ઉપલાદાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત પુ. પટેલ બાપુની આજે ૨૯મી પુણ્યતીથી હોય જેની ભીમબાપુની નિશ્રામાં ભાવભેર ઉજવણી કરવામાં આવેલ. ગઇકાલે આ પુણ્યતીથીની પુર્વ સંધ્યાએ યોજાયેલ ભજન સંધ્યાના કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ ભજનીક નિરજંન પંડયા, બિરજ બારોટ અને મયુરદવે સહિતના કલાકારોઅ ેપોતાની આગવી શૈલીમાં કલારસ પિરસ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં ભજન રજુ કરતા નિરંજન પંડયા અને ભજન સંધ્યાનો રસ માણતા પુ. ભીમબાપુ, મહાદેવગીરી બાપુ  સહિતના સંતો તેમજ  જયોતિબેન વાછાણી, રાજુભાઇ રાઠોડ તેમજ કિશોરભાઇ તથા મુન્નાભાઇ સહિતના દાતાર ભકતો નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી- તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(3:27 pm IST)