Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

હવે 'જનસેવા કેન્દ્ર'ની સેવા નવનિર્મિત ભુજ મામલતદાર કચેરીમાંથી મળી શકશે

ભુજ, તા.૧૧:- ભુજ ખાતે નવનિર્મિત મામલતદાર કચેરી ગત પમી માર્ચે  ખુલ્લી મૂકાતાં અગાઉ જિલ્લા કલેકટર કચેરીના સંકુલમાં કાર્યરત જનસેવા કેન્દ્રને હવે નવી મામલતદાર કચેરીમાં ખસેડવામાં આવ્યું હોવાનું ભુજ મામલતદાર સુશીલ પરમાર દ્વારા જણાવાયું હતું.

ભુજની મામલતદાર કચેરી નવનિર્મિત ભવનમાં સીફટીંગની કામગીરી બાદ જનસેવા કેન્દ્રને જિલ્લા કલેકટર કચેરી ખાતેથી ખસેડી લેવાતાં ભુજની મામલતદાર કચેરી ખાતેથી 'જનસેવા કેન્દ્ર'ની સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે, તેમ શ્રી પરમારે જણાવ્યું હતું.(૨૨.૨)

(11:49 am IST)