Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વેરાવળના ડારી ગામમા ૫ સિંહોએ હુમલો કરતા 70 ઘેટાં-બકરાંના મોત

વેરાવળના ડારી ગામે ૫ સિંહ દ્વારા આંતક મચાવવામાં આવ્યો હતો,જેમાં સિંહોએ ૭૦ ઘેંટા-બકરાનને નિશાનો બનાવી હુમલો કર્યો હતો. અને ૭૦ જેટલા ઘેટા-બકરાનો શિકાર કરતા ખળભળાટ મચી ગયો છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગિર-સોમનાથ જિલ્લાના વેરાવળના ડારી ગામે રવિવાર રાત્રીના ૫સિંહોનું ટોળું ગામમાં ધૂસ્યું હતું અને ધીરૂભાઇ સોલંકીની વાડીમાં માલધારી જીવા પોલા ચાવડાએ પોતાના ઘેંટા-બકરાનું ઝુંડ રાખ્યું હતું તે દરમ્યાન મોડી રાત્રે ૫ સિંહના ટોળાએ વાડીમાં સુતેલા ૭૦જેટલા ઘેંટા-બકરાનાં ઝુંડ પર હુમલો કરી મારણ કર્યું હતું.

આ પહેલા પણ ગત અઠવાડીયામાં ગરૂવારે આજ વિસ્તારમાં વાડી ધરાવતાં નૂર મહ્મમદ અમીનની વાડીમાં સિંહે ગાયનું મારણ કર્યું હતું. જ્યારે આ બનાવ બાદ ડારી ગામ સહિત આજુ-બાજુના વિસ્તારોમાં માલધારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. સાથે ઘેંટા-બકરાને સુરક્ષીત સ્થળ પર રાખવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.   

(1:45 pm IST)