Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઘેલા સોમનાથ દાદાના દર્શને રાજકોટ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી

જસદણઃ સૌરાષ્ટ્રના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવના શરણે રાયથી રંક સુધીનાં આવે છે જેમની મનોકામના પૂર્ણ થાય છે એમ શ્રધ્ધાળુઓ જણાવે છે ત્યારે તાજેતરમાં રાજકોટ જિલ્લા ભાજપમાં વરાયેલાં પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા અને મનસુખભાઇ રામાણી રવિવારે ઘેલાં સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી હતી. આ તકે ભાજપના કાર્યકરોએ પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.(તસ્વીર-અહેવાલઃ હુસામુદીન કપાસીઃ જસદણ)

(10:20 am IST)