Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પીર લાખાસરમાં પ્રૌઢની બોથડ પદાર્થના ઘા મારી હત્યા

શકદાર શખ્સ વિરૂધ્ધ નોંધાવાતી પોલીસ ફરીયાદ

ખંભાળીયા, તા., ૧૧: તાલુકાના પીર લાખાસર ગામે પ્રોઢને બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હોવાની શકદાર શખ્સ સહિત અજાણ્યા ઈસમ વિરુઘ્ધ પોલીસમાં કરીયાદ નોંધાવામાં આવી છે.

વિગત મુજબ પીર લાખાસર ગામે રહેતાં અને માનસીક બિમારીથી રખડતું ભટકતુ જીવન જીવતાં અલ્લારખાભાઈ હમીરભાઈ ભટી નામના પ્રૌઢની લાશ ગત તા.૬ ના રોજ મળી હતી. આ અંગે મૃતકના પૂત્ર ઈકબાલ અલ્લારખા ભટીએ ખંભાળિયા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમના પિતા માનસીક બિમાર હોય અને રખડતું ભટકતું જીવન જીવતાં હોવાથી તેની હત્યા નવાજ જુમા દેથા રહે. પીર લાખાસર વાળાએ અથવા કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા મારી નિપજાવી હોવાની શંકા દર્શાવતાં પોલીસે શકદાર વિરૂધ્ધ ગૂનો નોંધી વધુ તપાસ પીઆઈ દેકીવાડીયાએ હાથ ધરી છે.

(3:54 pm IST)