Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કૈલાસ માનસરોવર યાત્રીકોનો મહાકુંભ

વેરાવળ-પ્રભાસ-પાટણ તા. ૧૧ : ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ સાનિધ્યે દેશના કૈલાસ માનસરોવર યાત્રીકોના સોમનાથ ખાતે યોજાયેલ મહાકુંભના આજના પ્રથમ દિવસે સંધ્યા પવિત્ર ત્રિવેણી સંગમ તટે જયોર્તિલિંગ પૂજન સાથે ઝળહળતા દિપક-દીવડાઓથી શિવસ્મરણ આરતી સાથે ત્રિવેણી નદી મહાઆરતી કરી ધન્યા બન્યા.

આ પુર્વે સવારે બ્લડ ડોનેશન કેમ્પ-પ્રાસંગીક ઉદ્દબોધન અને કૈલાસયાત્રા ગોષ્ટી તથા જયોર્તિલિંગ પૂજન કરી સર્વ ધન્ય બન્યા રાત્રે સોમનાથ ઇતિહાસ લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ લોકસાહિત્યના ડાયરામાંં ઉપસ્થિત રહી સૌ શિવમય બન્યા છે.

(1:07 pm IST)