Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

નખત્રાણાના બાવાજી યુવાનની લાશ બહાર કઢાયા બાદ પત્નીએ કહ્યું બન્નેના ઝઘડા બાદ પતિએ ગળે ફાંસો ખાધો

ઉતાવળ કરીને મોતનું કારણ છુપાવ્યું, માતાની ફરિયાદ પછી પોલીસે તપાસ કરતાં મોતનું નવું કારણ સામે આવ્યું

ભુજ,તા.૧૧: નખત્રાણાના વિરાણી ગામે પાઉંભાજી અને દાબેલીની ગાડી કાઢનાર બાવાજી યુવાન કેતનપુરી પ્રવીણપુરી ગુંસાઈના મોત બાદ તેમની લાશની તપાસ હાથ ધરતાં મોતનું નવું કારણ સામે આવ્યું છે. તંત્રએ વિડીયોગ્રાફી સાથે લાશ બહાર કાઢી તપાસ હાથ ધરતાં આ યુવાનનું મોત ગળે ફાંસો ખાવાથી થયું હોવાનો રિપોર્ટ જામનગર ફોરેન્સિક લેબ દ્વારા મળ્યો હતો. દરમ્યાન પોલીસ દ્વારા તેની પત્નીની પૂછપરછ કરાતા તેણીએ કબુલ્યું હતું કે, પતિ પત્ની વચ્ચે ઝદ્યડો થયો હતો બાદમાં પતિએ ગળે ફાંસો ખાધો હતો. પ્રેમલગ્ન કરનાર આ યુવાનના મોત અંગે તેની માટે શંકા વ્યકત કરી હતી. હવે આ બનાવની વધુ તપાસ નખત્રાણાના પીએસઆઇ વાય.એચ. ઝાલા ચલાવી રહ્યા છે.

(11:37 am IST)