Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કવિ કેતન બગથરીયાના કાવ્ય સંગ્રહ''વૈવિધ્ય''નું હંસદેવગિરિજીના હસ્તે વિમોચન

રાજકોટઃ ''શિવાશ્રમ''-નવાગામ (તા. કાલાવડ-શીતલા) મુકામે રાજકોટના કવિ ''કેતન'' કેતનકુમાર કે. બગથરીયાના કાવ્યસંગ્રહ 'વૈવિધ્ય''નું ''શિવપુરાણ''ના કથાકાર હંસદેવગિરિજી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. સવાસો જેટલા કાવ્યોની રચનાનો કથાકાર હંસદેવગિરિજીએ કાવ્ય-સંગ્રહમાં લખેલ છે. તેઓના પિતાશ્રી-મોટા બાપુ-કૈલાશવાસી સંત નારાયણગિરિ બાપુના ''અનેક ભજનો'' સુપ્રિસિધ્ધ ભજનિકો ગાય છે. જેઓના આ સમાધિ-આશ્રમમાં રકતદાન, નેત્રયજ્ઞ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થાય છે.  તેમ કેતનભાઇની યાદીમાં જણાવાયું છે.

(11:33 am IST)