Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જાફરાબાદના મીઠાપુરમાં ગળાફાંસો હાલતમાં લાશ મળી

અમરેલી, તા. ૧૧ : જાફરબાદ તાલુકામાં નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે નાગેશ્રીમાં રહેતા ભોજાભાઇ દેવાભાઇ ઘરેથી ૧પ દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરી મામલે નાગેશ્રી ગામના લાલાભાઇ ખીમાભાઇ યુવાન રહે. નાગેશ્રી વાળાને પોલીસે શંકાસ્પદ લાગતા નિવેદન લેવા માટે અને પૂછપરછ કરવા બાબતે પોલીસ સ્ટેશન લઇ આવ્યા બાદ આ સમયમાં પોલીસ તંત્રની હાજરીમાં લાલો પોલીસની નજર ચૂકવી અહીંથી નાસી છૂટયો હતો અને ફરાર થયો હતો ત્યાર બાદ આજે કરસનભાઇ ભીખાભાઇ રાઠોડ જે લાલાના કુટુંબીજનોની વાડી વિસ્તારમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે.

નાગેશ્રી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે સાથે સાથે ઘટનામાં પરિવારજનોમાં પોલીસની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી જોકે હજુ સુધીમાં કોઇ ચોકકસ કારણ બહાર આવેલ નથી સ્થાનિક લોકો કહે છે પોલીસથી ગભરાયને આ પ્રકારનું પગલુ ભર્યું છે જોકે પોલીસ અહીં એવો દાવો કરે છે માત્ર પૂછપરછ માટે બોલાવેલો હતો કોઇ અન્ય બનાવ બન્યો ન હતો હાલમાં ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટના ઉપર સતત નજર રાખી રહ્યું છે.

પી.એસ.આઇ. મૂળીયાના જણાવ્યા પ્રમાણે આ છોકરો માનસિક હતો અને એના લગ્ન પણ કરેલ નથી અને તેમના પિતા નથી અને પોલીસ એ કોઇ મારકૂટ કરેલ નથી અને તેના ઘરેથી બોલાવેલ હતો. બધા લોકોને ખબર હતી બીજી તરફ આ લાલભાઇ નામનો યુવાનના સમાચાર મળતા ગામના કોળી સમાજમાં પણ શોક છવાયો હતો.

(4:26 pm IST)