Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વિંછીયામાં અહિંસા પદયાત્રાનું ભવ્ય સ્વાગત : મંત્રી કુંવરજીભાઇ ઉપસ્થિત

 વિંછીયા : રાષ્ટ્ર ગૌરવ આચાર્ય સુનિલસાગરજી મહારાજની શુભનિશ્રામાં ગાંધીનગરથી જૂનાગઢ (ગિરનાર) જયા નીકળેલ સંઘ વિંછીયા ઉમિયા શૈક્ષણિક સંકુલમાં આવી પહોચતા શાળાના પ્રમુખ ભૂપતભાઇ કેરાવિયા વગેરેએ ઢોલ નગારા સાથે શ્રી સંઘનુ સ્વાગત કર્યુ હતુ. આ તકે ઉપસ્થિત ગુજરાતના કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાને દિગંબર મુનિ સુનીલ સાગરજી મહારાજએ ગુજરાત રાજયની સુખશાંતિ, પ્રગતિ અને કુંવરજીભાઇને ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભકામના પાઠવી હતી. (અહેવાલ - તસ્વીર : પિન્ટુ શાહ)(૪૫.૮)

(11:52 am IST)