Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વાંકાનેરઃ પરીણીતાને ભરણપોષણ નહિ ચુકવતાં પતિને ૩ર૦ દિવસની સજા

રાજકોટ, તા., ૧૧: વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામના ગીતાબેન મુકેશભાઇ દ્વારા તેમના પતિ મુકેશભાઇ રતીભાઇ સરવૈયા સામે ભરણપોષણ મેળવવા વાંકાનેરની કોર્ટ સમક્ષ અરજી કરેલી હતી. આ અરજીના કામે કોર્ટ દ્વારા ગીતાબેનને માસીક રૂ. ૪૦૦૦ માસીક ભરણપોષણ ચુકવવાનો હુકમ મુકેશભાઇ રતીભાઇને કરેલ હતો. ત્યાર બાદ આ મુકેશભાઇ રતીભાઇ દ્વારા ૩ર માસની ભરણપોષણની રકમ રૂ.૧,ર૮,૦૦૦ નહી ચુકવતા અરજદાર ગીતાબેન વતી એડવોકેટ મહાવીરસિંહ જે. જાડેજાએ રજુઆતો કરતા તેમની રજુઆતો કરતા તેમની રજુઆતો ધ્યાને લઇ વાંકાનેરના જજ એ.પી.જોષી દ્વારા મુકેશભાઇ રતીભાઇ સરવૈયા રહે. બેડી, તા.જી. રાજકોટવાળાને ૩ર૦ દિવસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવેલ છે અને મુકેશભાઇને જેલ હવાલે કરેલ છે.

આ કામમાં અરજદાર વતી એડવોકેટ મહાવીરસિંહ જે.જાડેજા રોકાયેલ હતા.

(11:16 am IST)