Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

બગસરા બાદ ખાંભામાં દીપડાનો આંતક ઘરમાં ઘૂસીને વાછરડાનું મારણ કર્યું : લોકોમાં ફફડાટ

ચંદ્રસિંહ રાઠોડના ઘરમાં ઘુસી વાછરડાનું મારણ : વન વિભાગ દ્વારા તપાસ

અમરેલી: અમરેલી  જીલ્લામાં દિપડાનો વધી રહેલો આતંક જાણે ખતમ થવાનું નામ જ લેતો નથી, બગસરા બાદ હવે ખાંભામાં પણ દીપડાએ તેનો આતંક મચાવ્યો છે. ખાંભામાં દિપડાએ રહેણાંક ઘરમાં ઘુસીને વાછરડાનું મારણ કર્યું હતું

ખાંભા ના ચંદ્રસિંહ રાઠોડના ઘરમાં ઘુસી દીપડાએ કર્યું વાછરડાનું મારણ કરતા  વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

 સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી છે. પરંતુ દિપડાના અવાર નવાર થતા હુમલાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

(12:34 pm IST)