Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જુનાગઢના ડી કાંતિલાલ વિસ્તારમાં ગંદકીના ગંજ

પરબત લક્ષ્મણ પટેલ સમાજ દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત

 જુનાગઢ તા. ૧૦ :.. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુનાગઢના ડી કાંતિલાલ વાળી ગલીના વિસ્તારમાં ગંદકી દૂર કરવા પરબત લક્ષ્મણ પટેલ સમાજ દ્વારા મ્યુનિ. કમિ.ને  પત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ અંગે સમાજ દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, જુનાગઢ શહેર ગાંધીચો ડી. કાંતિલાલ વાળી શેરીમાં મુખ્ય રસ્તા ઉપર સ્થાનીક રહીશો દ્વારા રોડ ઉપર કપડા ધોવા, શેરડી કાપી તેની ગંદકી કરવી તથા ઘર વપરાશ તથા ગંદો કચરો જાહેર રસ્તા ઉપર ફેંકી ગંદકી ફેલાવામાં આવી રહયાનો આક્ષેપ કરવામાં આવી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કોર્પોરેશન દ્વારા નિયમીત સફાઇ થાય, ઘન કચરાનો સમયસર નિકાલ થાય તેમજ સ્થાનીક રહીશોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા, અંતમાં સમાજનાં પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

(12:27 pm IST)