Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જુનાગઢ દર્શને આવેલા મુંબઇના યુવાનની જિંદગીની સફરનો રાજકોટમાં અચાનક અંત

જંકશન સ્ટેશને ટ્રેનમાં બેઠા બેઠા બેભાન થઇ ગયોઃ પાંચ મિત્રો સાથે આવ્યો હતો

રાજકોટ તા. ૧૦: મુંબઇથી જુનાગઢ ગિરનાર દર્શને આવેલા છ મિત્રો પૈકી એક મિત્રની જિંદગીની સફરનો રાજકોટ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં બેઠા-બેઠા અચાનક અંત આવી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ મુંબઇ ડોંબીવલીમાં રહેતો અને શીપીંગ ઇન્ડ્રસ્ટ્રીઝમાં કામ કરતો નિલેષ કેશવભાઇ બાપટ (ઉ.૩૭) તેના બીજા પાંચ મિત્રો સાથે ૮મીએ જુનાગઢ ફરવા આવ્યો હતો અને બધાએ ગિરનાર પર્વત ચઢી દર્શન કર્યા હતાં. ગઇકાલે જુનાગઢથી પરત મુંબઇ જવા છએય મિત્રો જુનાગઢથી ટ્રેનમાં બેઠા હતાં. સાંજે આ ટ્રેન રાજકોટ પહોંચી ત્યારે નિલેષ અચાનક પોતાની સીટ પર બેઠો બેઠો બેભાન થઇ જતાં મિત્ર સંજય પાટીલ સહિતનાએ તેને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજતાં મિત્રોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરતાં એએસઆઇ બિપીનભાઇ અને યોગીરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન બે ભાઇમાં નાનો અને કુંવારો હતો.

(12:13 pm IST)