Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વાંકાનેરના જુની કલાવડી ગામે ત્રણ બાળકો રતનજ્યોતના બી ખાઇ ગયા

ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.૧૦: વાંકાનેરના જુની કલાવડી ગામે ત્રણ બાળકો રતનજ્યોત નામના છોડના બી ખાઇ જતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જુની કલાવડીમાં રહેતાં જેન્તીભાઇ ચાવડાની દિકરી માનવી (ઉ.૭) તથા મુકેશ ચાવડાનો પુત્ર હિતેષ (ઉ.૮) અને પુત્રી તન્વી (ઉ.૪) રમતાં રમતાં રતનજ્યોતના બી ખાઇ જતાં ઝાડા ઉલ્ટી થઇ જતાં ત્રણેયને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:13 pm IST)