Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રૂા. ૧.ર૦ લાખનું મંગલસુત્ર લઇ જઇ જુનાગઢની મહિલા સાથે વિશ્‍વાસઘાત

ઉપલેટાનાં શખ્‍સ સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: રૂા. ૧.ર૦ લાખનું મંગલસુત્ર લઇ જઇ બાદમાં પરત નહિં કરી ઉપલેટાનાં શખ્‍સે વિશ્‍વાસઘાત કર્યાની ફરિયાદ જુનાગઢની મહિલાએ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જોશીપરા વિસ્‍તારમાં રહેતા જયશ્રીબેન ઉર્ફે કાજલબેન નટવરલાલ ઉર્ફે નિમેષ અકબરી પાસેથી ઉપલેટાનો કેવીન જગદીશ, સોજીત્રા નામનો સંબંધી શખ્‍સ રૂા. ૧,ર૦,પ૭૦ની કિંમતનું સોનાનું મંગલસુત્ર લઇ ગયો હતો.
કેવીને પોતાની પત્‍ની માટે મંગલસુત્ર બનાવ્‍યું હોય નમુના રૂપે મહિલા પાસેથી મંગલ સુત્ર લઇ ગયા બાદ પરત નહિં કરતાં ગઇકાલે મહિલાએ કેવીન સોજીત્રા સામે વિશ્‍વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
વિશેષ તપાસ પી.એસ.આઇ. મારૂ ચલાવી રહ્યા છે.

 

(11:47 am IST)