Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

વિરપુર નજીક સુરતથી પોરબંદર જતી ટ્રાવેલ્સની બસમાં આગ ભભૂકી

રાઘવ ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેટરીમાં શોટ સર્કિટના કારણે ઓચિંતા આગ ભભૂકી

રાજકોટ-ગોંડલ હાઈવે પર વિરપુર જલારામધામ નજીક  સુરતથી પોરબંદર જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા બસમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે આ આગથી બસમાં મૂસાફરી કરી રહેલા નિંદ્રાધિન મુસાફરોને પણ હેમખેમ બહાર કાઢ્યા હતા. પરંતું બસની આગ જોઈ મુસાફરોમાં પણ ભારે ગભરાહટ પ્રસર્યો હતો. જો કે જાનહાની ટળતા સૌએ હાશકારો અનુભવ્યો હત

  વિરપુર જલારામધામ નેશનલ હાઈવે પર બસ સ્ટેન્ડ પાસે ખાનગી લકઝરી બસમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠવા પામી હતી.સુરતથી પોરબંદર તરફ જતી રાઘવ ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેટરીમાં શોટ સર્કિટના કારણે ઓચિંતા આગ ભભૂકી ઉઠવા પામી હતી. અને બસ આગના વિકરાળ સ્વરૂપમાં લપેટાઈ જાય તે પહેલાં જ બસમાં સવાર લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.

  બીજી તરફ  હાઈવે પર બસમાં ભભૂકી ઉઠેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનાની જાણ વીરપુર પોલીસને થતા વીરપુર પોલીસના પી.એસ.આઈ આર.એ.ભોજાણી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી જઈને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેમણે ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મળ્યો હતો.જેમને લઈને આ બનાવમાં કોઈ જાનહાની ન થવાની સાથે સદનસીબે મોટી દુર્ઘટના થતાં અટકી જવા પામી હતી.

(8:07 pm IST)