Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

બાબરામાં બાઇક અડફેટે વૃદ્ધાનું મૃત્યુઃ સ્પીડ બ્રેકર બનાવવા માંગ

બાબરાઃ બાબરાની મધ્યમાંથી નીકળતા રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર ગતિ અવરોધક ન હોવાથી અવારનવાર અકસ્માતની હારમાળા સર્જાઇ રહી છે. અને અનેક વખત સ્થાનીક રાહદારીઓ સહીતી વાહનચાલકો અકસ્માતમાં મૃત્યુ પામે છે.

તા. ૭ ના રોજ રાત્રે  રાજકોટ રોડ ઉપર આવેલા  કૃષ્ણનગર હાઉસીંગ સોસાયટીમા રહેતા ૬પ વર્ષીય ઠકકર જયોતિબેન જયંતિલાલ ચંદારાણા રોડ ક્રોસ કરી અને ચીજવસ્તુ લેવા જતા હતા ત્યારે રાજકોટ તરફથી આવતા જીજે૧૪ એઇ ૭૦૯૧ નંબરના મોટરસાઇકલ બાઇક ચાલકએ અડફેટે લેતા ગંભીર ઇજા સાથે વૃદ્ધાને  બાબરા બાદ વધુ સારવાર માટે રાજકોટમા ખસેડવામા આવ્યા હતા. સારવાર મળે તે પહેલા તેમના મૃત્યુ થયુ હતુ. બાઇક ચાલક નાસી છૂટયો હતો. ગતિ અવરોધક બનાવવા અવારનવાર માગ કરવામા આવી હોવા છતા તંત્ર સ્થાનીકોના મોતની રાહ જોઇ બેઠું હોય તેમજ યોગ્ય કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યુ હોવાનું ચર્ચાઇ છે.

(11:50 am IST)