Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રાનો રથ જેતપુરના ભાદર નદી કાંઠે નરસિંહ મંદિરમાં મોજુદ

નરસિંહ મંદિરના મહંત બ્રહ્મચારી આત્માનંદરજી મહારાજે સૌને સોહર્દથી રહેવા કરી અપીલ

રાજકોટ : સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે આજે  ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. અને  અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રામ મંદિર માટે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીએ 1992માં સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. તે રથ આજે જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલા નરસિંહ મંદિરમાં પડ્યા છે. ત્યારે નરસિંહ મંદિરના મહંત બ્રહ્મચારી આત્માનંદરજી મહારાજે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશે તેમ જણાવ્યું. સાથે જ સૌને ભાઈચારા સોહાર્દથી રહેવાની અપીલ પણ કરી હતી.

(10:58 am IST)